Sunday, March 22
Shadow

Gujarat

“હિન્દ રક્ષક સંઘ” દ્વારા ૩૧મી ડિસેમ્બર નાં રોજ ‘ગૌ સેવા પર્વ’ ની ઉજવણી

“હિન્દ રક્ષક સંઘ” દ્વારા ૩૧મી ડિસેમ્બર નાં રોજ ‘ગૌ સેવા પર્વ’ ની ઉજવણી

Gujarat
જોગી ન્યુઝ, કાલાવડ        કાલાવડ ખાતે "હિન્દ રક્ષક સંઘ"દ્વારા ૩૧મી ડિસેમ્બર નાં રોજ 'ગૌ સેવા પર્વ'ની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી દેશોના તહેવાર નાં અનુકરણને છોડી દર વર્ષે ૩૧મી ડિસેમ્બરના રોજ આપણે સૌ સનાતનીઓ “ગૌ સેવા પર્વ” ની ઉજવણી કરીશું.          "હિન્દ રક્ષક સંઘ"ના સંસ્થાપક - અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ નાં માર્ગદર્શન હેઠળ તા.૩૧ ડિસેમ્બર ને બુધવાર, સવારે ૧૦:૩૦ કલાકે કાલાવડ વૃંદાવન ગૌશાળા ખાતે 'ગૌ સેવા પર્વ' ની વિધિવત રીતે ઉજવણી કરવામાં આવી જેમાં સૌ પ્રથમ ગૌ પૂજા, ગૌ પ્રદિક્ષણા, ગૌ માતાને લાડુ ખવડાવવું, ગૌમાતાને લીલું ખવડાવવું તેમજ રોડ પર થતા અકસ્માત થી ગૌવંશનાં રક્ષણ હેતુ રાત્રિ દરમિયાન ગૌવંશ ને રેડિયમ બેલ્ટ લગાવી 'ગૌ સેવા પર્વ' ની ઉજવણી કરાઈ.         આ કાર્યક્રમમાં શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર નાં પૂજારી શ્રી જીકાબાપુ, શ્રી શક્તિસિંહ જાડેજા (ગિરનારીબા...
આદિવાસી મ્યુઝિયમ ઇન્દોર રોડ, દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની કરાશે ઉજવણી

આદિવાસી મ્યુઝિયમ ઇન્દોર રોડ, દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની કરાશે ઉજવણી

Gujarat
જોગી ન્યુઝ, દાહોદ     SSE India GIRL UNICEF ગુજરાત તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, દાહોદના સહયોગથી બાલિકા પંચાયત સંમેલનનું તા.૧૬/૧૨/૨૦૨૫ના રોજ આદિવાસી મ્યુઝિયમ, ઇન્દોર રોડ, દાહોદ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસના અવસરને ધ્યાનમાં રાખીને, આ કાર્યક્રમ બાળ અધિકાર અને બાલિકા નેતૃત્વને કેન્દ્રમાં રાખીને યોજાશે. કાર્યક્રમની થીમ 'અધિકાર થી આત્મવિશ્વાસ સુધી: A Journey of Empowered Girls" રાખવામાં આવી છે. SSE India દ્વારા બાળકોના અધિકારો, કિશોરી સશક્તિકરણ અને સમુદાય સ્તરે તેમની ભાગીદારી મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. જેમાં મુખ્ય પહેલ ASPIRE (Adolescent Social Participation for Inclusive Rights and Empowerment) અંતર્ગત, પંચાયતો, શાળાઓ અને સમુદાય સંસ્થાઓ સાથે મળીને કિશોર-કિશોરીઓને નિર્ણય પ્રક્રિયામાં સક્રિય અને અર્થપૂર્ણ જોડાણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ : જન–જન સુધી પહોંચી આરોગ્ય સેવાઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ : જન–જન સુધી પહોંચી આરોગ્ય સેવાઓ

Gujarat
જોગી ન્યુઝ, ગાંધીનગર      શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બા સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના ૪.૫ કરોડથી વધુ બાળકોએ લીધો આરોગ્ય સેવાનો લાભ બાળકોના આરોગ્યની સમસ્યાઓ ઓળખી 45 હજારથી વધુ હૃદય સબંધિત સર્જરી-સારવાર, 4,149 કીડની સારવાર, 2,336 કલબફૂટ, 1,408 ક્લેફ્ટ લીપ પેલેટ તથા 692 કેન્સર રોગની સારવાર, 751 કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી, 42 કીડની ટ્રાન્સપ્લાન્ટ, 23 બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ તેમજ 12 લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બાળ આરોગ્ય સુરક્ષા માટે સરકારની સતત અને સંવેદનશીલ પ્રતિબદ્ધતા...
જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા ગુજરાત પોલીસનું ‘ઓપરેશન કારાવાસ’

જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા ગુજરાત પોલીસનું ‘ઓપરેશન કારાવાસ’

Gujarat
જોગી ન્યુઝ, ભાવનગર    ગુજરાત પોલીસે 15 દિવસમાં જામીન પરથી ફરાર 41 આરોપીઓને પકડયા. જેઓ 15 જેટલા આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. પકડાયેલા તમામ આરોપીઓમાં ખૂન, બળાત્કાર જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા થઈ હોય તેવા આરોપીઓનો સમાવેશ થાય છે. માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સનો જ નહીં, ટેકનિકલ સર્વેલન્સનો પણ અસરકારક ઉપયોગ કરીને 41 આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસે ખૂબ મોટી જહેમત ઉઠાવી છે : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય...
ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે “વિશ્વ રેડિયોલોજી દિવસ”ની ઉજવણી કરાઈ

ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે “વિશ્વ રેડિયોલોજી દિવસ”ની ઉજવણી કરાઈ

Gujarat
જોગી ન્યુઝ, જામનગર     ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતેના ઓરલ મેડીસીન અને રેડીયોલોજી વિભાગ દ્વારા "વિશ્વ રેડિયોલોજી દિવસ"ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ દિવસની ઉજવણી ઈ.સ. ૧૮૯૫માં ૮ નવેમ્બરના રોજ વિલ્હેમ રોન્ટજન નામના વૈજ્ઞાનિક દ્વારા ક્ષ-કિરણોની શોધની યાદમાં કરવામાં આવે છે. ઉજવણીનો મુખ્ય હેતુ એક્સ-રેના મેડિકલ ક્ષેત્રમાં અતિ મહત્વના યોગદાન અને તેના લાભ-ગેરલાભ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો, જેના ભાગરૂપે વિભાગમાં આવેલ દર્દીઓ તથા સગા-સબંધીઓને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, "ઓરલસ્કેન" નામના આધુનિક મશીન વડે પાન-મસાલાનું વ્યસન ધરાવતા દર્દીઓની તપાસ કરી, તેમને મોઢાની અંદર કેન્સરની શક્યતા અંગે યોગ્ય માહિતી તથા સારવાર આપવામાં આવી હતી. તબીબી જ્ઞાનના ભાગરૂપે, ડેન્ટલ હોસ્પિટલના ડોક્ટરોને CBCT અંગેનું વ્યાખ્યાન અને પ્રેક્ટિકલ જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિવિધ...
શક્તિપીઠ અંબાજી ખાતે ૩૪મી રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનો ભવ્ય શુભારંભ કરાયો

શક્તિપીઠ અંબાજી ખાતે ૩૪મી રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનો ભવ્ય શુભારંભ કરાયો

Gujarat
જોગી ન્યુઝ, બનાસકાંઠા        અંબાજીમાં રાજ્યભરના ૭૦૦થી વધુ ઋષિકુમારો શાસ્ત્રીય સ્પર્ધામાં જોડાયા ઋષિકુમારો જ્યોતિષ, વ્યાકરણ, આયુર્વેદ, સાહિત્ય, ભગવદ્ ગીતા પાઠ, ભારતીય ગણિત, ઉપનિષદ અને વેદ સહિત ૩૮થી વધુ શાસ્ત્રીય વિષયોમાં ભાગ લેશે
ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા જૂનાગઢ ખાતે સેમિનાર

ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા જૂનાગઢ ખાતે સેમિનાર

Gujarat
હિન્દ ન્યુઝ, જૂનાગઢ       ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા જૂનાગઢ ખાતે સેમિનારના અંતિમ દિવસે બાયોટેકનોલોજીના ઉપયોગથી બાગાયત કૃષિના વિકાસ અને ફળ ઉત્પાદન ક્ષમતા વધારવાના સંદર્ભે કૃષિ વૈજ્ઞાનિકો નિષ્ણાતોએ પ્રેરક ચિંતન રજૂ કર્યું હતું, ખાસ ક્લાઈમેટ ચેન્જની આંબામાં ફ્લાવરિંગ - મોર અને પોલીનેશનની પ્રક્રિયા પર વ્યાપક અસર થઈ છે, ત્યારે સામા પક્ષે ક્લાઇમેટ ચેન્જથી નાળિયેરીના પાકને ફાયદો થયો હોવાની વાત રજૂ કરવામાં આવી હતી.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં 21 વર્ષ પહેલાં બાયો ટેકનોલોજીના વ્યાપ વધારવા એક મજબૂત શરૂઆત થઈ હતી જે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં છેવાડાના વિસ્તારો સુધી બાયો ટેકનોલોજીના પ્રચાર પ્રસાર અને આ ક્ષેત્રમાં ખાસ કરીને ગુજરાતના વિવિધ ભૌગોલિક પ્રદેશોના પાકો અને વન્ય જીવોના સંરક્ષણ માટે બાયો ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તે દિ...
નર્મદા મૈયાની પરિક્રમા કરતા ભાવિકો માટે યોજાયા ખાસ આરોગ્ય કેમ્પ

નર્મદા મૈયાની પરિક્રમા કરતા ભાવિકો માટે યોજાયા ખાસ આરોગ્ય કેમ્પ

Gujarat
જોગી ન્યુઝ, નર્મદા      વડોદરા જિલ્લાના આરોગ્ય તંત્રએ તેની સેવાનો વ્યાપ વધાર્યો છે. આરોગ્ય તંત્રએ એક વિશેષ અભિયાનના ભાગરૂપે નર્મદા પરિક્રમામાં કરી રહેલા યાત્રિકો માટે વિશેષ કેમ્પ યોજી રાજ્ય બહારના દર્દીઓની પણ સારવાર કરી છે. છેલ્લા ત્રણેક દિવસમાં આવા કેમ્પમાં ૮૫૦થી પણ વધુ પરિક્રમાર્થીઓને સારવાર આપવામાં આવી છે.  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, શિયાળાની ઋતુ દરમિયાન મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાના ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમા કરવા માટે નીકળે છે. આ પરિક્રમા દરમિયાન આ ભાવિકોના સમુહ વડોદરા જિલ્લામાં આવેલા નર્મદા નદીના કિનારેથી પસાર થાય છે.  આ બાબતને ધ્યાને રાખીને શિનોર તાલુકા આરોગ્ય અધિકારી ડો. જિજ્ઞેશ વસાવા તથા વિવિધ આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા તા. ૧૦ના રોજ માલસર, દિવેર, અનસૂયા આશ્રમ – બીથલી સહિત ગામોમાં પરિક્રમાર્થીઓ માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ...
જામનગર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ₹5716 કરોડની રકમના MoU-અંદાજે 2100 જેટલા લોકોને રોજગારી મળશે

જામનગર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ₹5716 કરોડની રકમના MoU-અંદાજે 2100 જેટલા લોકોને રોજગારી મળશે

Gujarat
જોગી ન્યુઝ, જામનગર    રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને તેમજ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની શૃંખલા અન્વયે કાર્યક્રમ યોજાયો. વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી. ગુજરાત સરકાર “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ”ના સિદ્ધાંતને મજબૂત બનાવી રહી છે. પારદર્શક નીતિઓ, ઝડપી મંજૂરી પ્રક્રિયા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આજે રોકાણકારોને વિશ્વાસ મળે છે : મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા...
જામનગર જિલ્લામાં રવિ સિઝન માટે ૪૨૦૦ મેટ્રિક ટન યુરિયાનો જથ્થો ઉપલબ્ધ

જામનગર જિલ્લામાં રવિ સિઝન માટે ૪૨૦૦ મેટ્રિક ટન યુરિયાનો જથ્થો ઉપલબ્ધ

Gujarat
જોગી ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લામાં હાલમાં ચાલુ રવિ સિઝનમાં પાકની પરિસ્થિતિ ઘણી સારી છે, અને પાકને હાલ યુરિયા ખાતરની આવશ્યકતા રહેલી છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે જામનગર જિલ્લામાં વિવિધ તાલુકા મથકો તથા ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે યુરિયાનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે.     જિલ્લાના ૬ તાલુકા કેન્દ્રો તેમજ ગ્રામ્ય સહકારી મંડળીઓ મળીને ચાલુ સિઝન માટે કુલ ૪,૨૦૦ મેટ્રિક ટન જેટલો યુરિયાનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, પુરવઠામાં વધારો કરવા માટે ચાલુ અઠવાડિયામાં હાપા ખાતેના રેક પોઈન્ટ પર ઇફકો કંપની મારફત યુરિયા ખાતરની રેક આવેલ હોય તેમાંથી જામનગર જિલ્લાને કુલ ૧૫૦૦ મે. ટન યુરિયા ખાતરની સપ્લાય કરવામાં આવેલ છે, તેમજ ક્રિભકો કંપની મારફત પણ ૭૫૦ મે. ટન યુરિયા ખાતરની સપ્લાય થનાર છે. વધુમાં, અન્ય ખાતર ઉત્પાદક કંપનીઓ દ્વારા પણ જરૂરિયાત મુજબ તમામ તાલુકાઓમાં નિયમિત સપ્લાય ચાલુ છે. આમ, હાલમાં વિવિધ વિક્રેત...